Thursday, April 25, 2024
HomeGujaratહળવદના દીધડીયા ગામે દીવાલ ત્રાટકતા બે સગા ભાઈ સહિત એક જ પરિવારના...

હળવદના દીધડીયા ગામે દીવાલ ત્રાટકતા બે સગા ભાઈ સહિત એક જ પરિવારના ત્રણ વ્યક્તીના મોત નિપજ્યા

હળવદ તાલુકાના દીધડીયા ગામે કાળ બનીને દીવાલ ત્રાટકતા ત્રણ વ્યક્તીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બે સગાભાઈ અને એક ભત્રીજાના મોતના વાવડ વહેતા થતા પરિવારજનો સહિત નાના એવા ગામમાં માતમ છવાયો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના દીધડીયા ગામે આવેલ ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરતી વેળાએ દીવાલ પડી હતી જેમાં દીવાલ નીચે દટાઈ જતા હકાભાઈ કમાભાઈ કાંજીયા અને તેના સગાભાઈ વિપુલભાઈ કમાંભાઈ કાંજીયા તથા તેઓનો ભત્રીજો મહેશભાઈ પેમાભાઈ કાંજીયાને ગંભીર ઇજા થવા પામી હતી જેથી તેને સારવાર અર્થે હળવદ અને ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યા ત્રણેયના મોત થયા હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું.ત્રણેયના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ ખસેડવામાં આવ્યા હતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે

વધુમાં આ ગોઝારી ઘટનાની કરુણાંતીકા એ છે કે મૃતકના પરિવારમાં આજે રાતે માતાજીનો માંડવો હોય અને મૃતક હકાભાઈના દીકરા દીકરીના આવતીકાલે લગ્ન લખવાના હતા. આવી મંગલ વેળાએ ગોઝારી ઘટના બનતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બીજી તરફ હળવદ પોલીસને પણ ઘટનાની જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!