Sunday, May 19, 2024
HomeGujaratમોરબીનાં ત્રાજપર તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણીમાં ચાર ફોર્મમાંથી ત્રણ માન્ય

મોરબીનાં ત્રાજપર તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણીમાં ચાર ફોર્મમાંથી ત્રણ માન્ય

મોરબીના ત્રાજપર તાલુકા પંચાયતની સીટની પેટાચૂંટણી માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ભાજપના એક ડમી ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણ ઉમેદવારના ફોર્મ માન્ય રહેતા આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે.

- Advertisement -
- Advertisement -

મોરબીની ત્રાજપર તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારનું અવસાન થતા ખાલી પડેલી બેઠક માટે આગામી તા.3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં ભાજપમાંથી દેવજીભાઇ રામજીભાઇ વરાણીયા અને અશોકભાઇ પરસોતમભાઇ વરાણીયા તથા કોંગ્રેસમાંથી જલાભાઇ સામતભાઇ ડાભી અને અપક્ષમાંથી બળવંતભાઇ નથુભાઇ શેખવાએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ભાજપના ડમી ઉમેદવાર અશોકભાઈ વરાણીયાનું ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું છે. હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણ પક્ષ વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!