Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના અગ્રણીઓની સ્મૃતિ જળવાય રહે તે માટે યોગ્ય સ્થળે નામાભિધાન કરવા ધારાસભ્યની...

મોરબીના અગ્રણીઓની સ્મૃતિ જળવાય રહે તે માટે યોગ્ય સ્થળે નામાભિધાન કરવા ધારાસભ્યની પાલિકા તંત્રને લેખિત રજૂઆત

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂનમચંદ કોટકનું તાજેતરમાં નિધન થયું છે તેમજ પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર પ્રજાવત્સલ લોકસેવક હતા તેની સ્મૃતિ જળવાઈ રહે તેવા હેતુથી યોગ્ય સ્થળે તેમનું નામાભિધાન કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત કરતા તેમણે જણાવ્યું છે કે પાલિકાના પૂર્વ પ્રમુખ પુનમચંદ કોટક અને પૂર્વ ધારાસભ્ય ગોકલદાસ પરમારની સ્મૃતિ મોરબીમાં જળવાઈ રહે તે માટે બંને મહાનુભાવોના નામો નગરપાલિકા વિસ્તારના કોમ્યુનીટી હોલ, લાઈબ્રેરી, મુખ્ય માર્ગ એવા જાહેર સ્થળોએ તેમની સ્મૃતિ જળવાય તેમ ખાસ કરાવવા ભલામણ કરી છે સાથોસાથ કંડલા બાયપાસ ખાતે સ્વામીનારાયણ મંદિર નજીક સર્કલને ભગવાનશ્રી સ્વામીનારાયણ સર્કલ નામાભિધાન કરવાની હરિભક્તો અને સત્સંગપ્રેમીઓની લાગણીને ધ્યાને લઈને નામાભિધાન કરવામાં આવે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!