વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી બોન્જા સીરામીકના ટ્રક પાર્કિંગમાં ટ્રક ચાલકને અચાનક હાર્ટએટેક આવતા તેનું મોત થયું હતું.
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી બોન્જા સીરામીકમાં ટ્રક ખાલી કરવા આવેલા ટ્રક ચાલક વિજેન્દ્રસિંહ જ્ઞાનસિંહ રાજપુત ઉવ.૩૨ રહે.હાલ પદમાવતી ટ્રાન્સપોર્ટ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે તા.વાંકાનેર મુળ રહે.સુનાતો કી બાડીયા તા.ભીંડ જી.રાજસમંદ (રાજસ્થાન) વાળાને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






