Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરના જૂની રાતીદેવળીમાં પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના બે...

વાંકાનેરના જૂની રાતીદેવળીમાં પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા મોત સહિત જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં આજે વધુ બે અપમૃત્યુના બનાવો જુદાજુદા પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં વાંકાનેર પંથકમાં પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપડતા મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના જૂની રાતીદેવળી વિસ્તારમાં રહેતા દિપકભાઇ પરેમજીભાઇ વોરા નામના 55 વર્ષીય પ્રૌઢ પોતાના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડતા રીક્ષા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં જ તે બેભાન હાલતમાં થઈ ગયા હતા જેને હોસ્પિટલના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે વાંકાનેર સીટી પોલીસે વધુ મૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધાપવી હતી.

અપમૃત્યુના અન્ય એક કેસમાં પોલીસ સ્ટેશનેથી મળતી વિગત અનુસાર હળવદ ખાતે આવેલ જનતા હોટલ ખાતે ગોપાલસિંહ તારાસિંહ રાજપુત (ઉ.વ.૩૬ રહે હાલ જનતા હોટલ હળવદ મુળ રહે.ભીલવાડા, રાજસ્થાન)નું કોઈપણ કારણસર મોત નીપજ્યું હતું જે અંગે પોલીસને જાણ કરતા હળવદ પોલીસે દોડી જઇ તાપસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!