Friday, April 19, 2024
HomeGujaratમોરબી અને ટંકારામાં અપમૃત્યુના બે બનાવો

મોરબી અને ટંકારામાં અપમૃત્યુના બે બનાવો

મોરબી : અણીયારી ગામે કારખાનામાં અગમ્ય કારણોસર યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ રાજસ્થાનનાં જયપુર જીલ્લાનાં શાહપુરાનો રહેવાસી અને હાલ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં આવેલ ડી.વી.કોલ કારખાનામાં રહી કામ કરતાં આશુતોષ ઘીસાલાલ શર્મા (ઉં.વ.૩૩)નું ગઈકાલે તા. ૧૦નાં રોજ કોઈ કારણસર મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને જેતપર સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા : કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ દાહોદની વતની અને હાલ ટંકારા તાલુકામાં આવેલ અજંતા કારખાનાની સામે આવેલ એશિયન ફ્લેક્સિપેક કારખાનાની ઓરડીમાં રહેતી નીતાબેન પંકજભાઈ બાવળીયા (ઉં.વ.૨૦) નામની પરિણીતાએ ગઈકાલે તા. ૧૦નાં રોજ કારખાનાની ઓરડીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકનાં લગ્નને ૨ માસ જેટલો સમયગાળો જ થયો છે. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!