Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી-ટંકારા માં અપમૃત્યુના બે બનાવો

મોરબી-ટંકારા માં અપમૃત્યુના બે બનાવો

મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

મોરબીના જેતપર ગામની સીમમાં યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત થયું હતું જે બનાવ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબીના જેતપર ગામના રહેવાસી કાન્તીભાઈ ગણપતભાઈ નાયક કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા જેતપર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

ટંકારાના વીરપર ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામનો યુવાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવને પગલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વીરપર ગામના રહેવાસી હિરેનભાઈ બાબુભાઈ ચાવડા (ઉ.વ.૨૯) નામનો યુવાન ગત તા. ૩૧ ના પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે આપઘાતના બનાવની જાણ થતા ટંકારા પોલીસે મૃતદેહ ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!