Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત સહિત અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત સહિત અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં છેલા 24 કલાકમાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં મોરબીમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધુ હતું જ્યારે મોરબી તાલુકામાં સીરામીક કારખાનના ખાડામાં પડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસારમોરબીના સબ જેલ નજીકના વિસ્તારમાં રહેતા સુનિલભાઇ  રણછોડભાઇ પરમાર નામના 18 વર્ષીય યુવાને કોઇ પણ કારણસર પોતાના ઘરે ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન ફરજ પરના તબીબે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રોહિતભાઇ તેરસિંગ હટીલા નામનો ત્રણ વર્ષનો બાળક બેલા ગામની સીમમાં આવેલ ફેવર સીરામીકના કારખાનાના લેબર ક્વાટરમાં આવેલ ગટરની કુંડીમાં અકસ્માતે પડી ગયો હતો જેને લઈને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!