Friday, March 29, 2024
HomeGujaratઆવતીકાલથી વાંકાનેર-મોરબી વચ્ચે ચાલશે બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન

આવતીકાલથી વાંકાનેર-મોરબી વચ્ચે ચાલશે બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલ 14 એપ્રિલ, 2022થી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજકોટ ડિવિઝન ના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1) ટ્રેન નંબર 09444 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક) મોરબીથી દરરોજ બપોરે 01: 05 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 01.50 વાગ્યે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર, મકનસર અને ઢુવા સ્ટેશન પર ઉભી રહેશે.

2) ટ્રેન નંબર 09563 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09563 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ બપોરે 12.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12.55 વાગ્યે મોરબી પહોંચશે. આ ટ્રેન ઢુવા, મકનાસર, રફાલેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!