Sunday, May 5, 2024
HomeGujaratમોરબી જિલ્લામા અકસ્માત-અપમૃત્યુની બે ઘટના નોંધાઈ

મોરબી જિલ્લામા અકસ્માત-અપમૃત્યુની બે ઘટના નોંધાઈ

મોરબી જિલ્લામાં અપમૃત્યુની બે ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બે લોકોના અકાળે મોત નિપજતા જુદા-જુદા પોલીસ મથકમાં આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વિસીપરા વાડી વિસ્તારમાં રહેતા સિરાજ રસુલ ભટ્ટીએ અગમ્ય કારણો સર પોતાના ઘરે ગળેફાંસો ખાધો હતો.અકળ કારણો થી કંટાળી જઇ અંતમી પગલું ભરી લીવાનો પ્રયાસ કરતા પરિવારજનોને જાણ થઇ હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોકટર તેમને મૃત જાહેર કર્યા હતા. આ. અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોરબી સીટી બી ડિવીઝન પોલીસે અકાળે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ વાકાનેરના હસનપર શક્તિપરા વિસ્તારમાં રહેતી હુરબાઇબેન આહમદભાઇ કટીયા લાકડા કાપતા હતા. તે દરમિયાન અકસ્માતે ધારિયું લાગી જતાં વધુ પડતુ લોહી નીકળતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેના પુત્ર હેજરભાઇ આહમદભાઇ કટીયાએ આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરી હતી. વાકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!