Tuesday, April 16, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી તાલુકાના બંધુનગર ગામે કારખાનામાં ઈલેક્ટ્રિક શોક લાગતાં તરૂણનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.૧૯) નામનો તરૂણ ગઈકાલે તા. ૯નાં રોજ બંધુનગર ગામે આવેલ એ ટુ ઝેડ ફેબ્રિકેશન કારખાનામાં કામ કરતો હોય દરમ્યાન તેને ઈલેક્ટ્રિક શોક લાગતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નાની વાવડી ગામે ઝેરી દવા પી જતાં યુવકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં નાની વાવડી ગામે સંત કબીર વાટીકામાં રહેતા રાકેશભાઈ કાન્તીલાલ વ્યાસ(ઉ.વ.૩૦) કોઈ કારણસર પોતાના ઘરે ઝેરી દવા (મોનોકોટ) પી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!