Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાયા

મોરબીમાં આપઘાત અને અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે એક જ દિવસમા બે અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, ગત તા.૨૨/૦૧/૨૩ ના રોજ મંગલસિંહ અમરતલાલ ભંડોર (રહે. ગામ અમજેરા તા.સરદારપુર જી.ધાર (એમ.પી.)) નામનો યુવક રાત્રીના સમયે મોરબી ખોખરા હનુમાન રોડ સર્વોપરી માટીની કંપનીના ક્વાર્ટરમાં હોય તે દરમિયાન કોઈ કારણોસર બીજા માળેથી નીચે પડી જતા ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઈ તેને પ્રથમ સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ગત તા.૨૩/૧/૨૩ના રોજ ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ ફરજ પર હાજર ડેક્ટરે યુવકને મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં ટંકારાના રોહીશાળા ગામ ખાતે રહેતા ઇલાબેન ગોપાલભાઇ મુંધવા ગત તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ કોઇ કારણસર રોહીશાળા ગામે આવેલ જેશાભાઇ ડાયાભાઇ પારીયાની વાડીમા આવેલ પાણી ભરેલ કુવામા પડી ગયા હતા. જેની જાણ થતા જ તેઓને પરિવારજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇ ટંકારા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!