Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના નીલકંઠ એપાર્ટમેન્ટમા પાણીના ટાંકામાં પડી જતા નેપાળી પરિવારના બે વર્ષના બાળકનું...

મોરબીના નીલકંઠ એપાર્ટમેન્ટમા પાણીના ટાંકામાં પડી જતા નેપાળી પરિવારના બે વર્ષના બાળકનું મોત

મોરબી જિલ્લામા આજે અપમૃત્યુનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટમા નેપાળી પરિવારના બે વર્ષનો બાળક રમતા રમતા પાણી ની ટાંકીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેને લઈને નેપાળી પરિવાર પર આભ ફાંટી પડ્યું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની પ્રાથમિક વિગત અનુસાર શહેરના દાઉદી પ્લોટમાં આવેલ રાષ્ટ્રીય શાળા વાળી શેરી પાસેના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારના 2 વર્ષ ના માસૂમ બાળક નિશાંત પ્રિયેન્દ્ર સોની પાણીના ટાંકા નજીક રમી રહ્યો હતો આ દરમિયાન એકાએક કોઈ કારણસર પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું કરુંણ મોત થયું હતું.

   

જે ની જાણ થતા નેપાળી પરિવારમાં રોકકડાટ ફેલાયો છે બીજી તરફ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!