Thursday, March 28, 2024
HomeGujaratહળવદ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પદે મનસુખભાઇ કણઝરીયાની બિનહરીફ વરણી

હળવદ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પદે મનસુખભાઇ કણઝરીયાની બિનહરીફ વરણી

હળવદ તાલુકા પંચાયતમા કારોબારી સમિતિના ચેરમેન પદે આજે માલણીયાદ બેઠકના સદસ્યની બિનહરીફ વરણી કરવામાં આવી છે જેમાં હળવદ ભાજપમાં બે જુથમાં પોતાના માનીતા સદસ્યને બેસાડવા માટે એક જુથે ભારે હવાતિયાં માર્યા હતાં પરંતુ અંતે પક્ષે આપેલાં મેન્ડેટને સર્વાનુમતે બિનહરીફ આજે વરણી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદ ભાજપમા બે જુથો હોવાનું જગજાહેર છે અને એક ગૃપે પોતાના માનીતા સદસ્યને કારોબારી સમિતિના ચેરમેન પદે બેસાડવા માટે અનેક રજૂઆત કરી હતી પરંતુ અંતે ત્રણ માસ અગાઉ જાહેર કરેલા કારોબારી સમિતિના ચેરમેન પદે માલણીયાદ બેઠકના સદસ્ય મનસુખભાઇ કણઝરીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી અમૃતભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયાર, ઉપપ્રમુખ નિલેશભાઈ ગામી સહિત તાલુકાના સદસ્ય હાજર રહ્યાં હતાં તો આજની બેઠકમાં ન્યાય સમિતિના ચેરમેન ધનશ્યામપુર બેઠકના નિરુબેન લીલાપરા અને દંડક તરીકે રમેશભાઈ ઝિઝુવાડીયાની નિમણુંક કરવા માટે ભાજપ પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!