Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ અવિરતપણે...

મોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ અવિરતપણે ચાલુ

મશીન મા ખામી જણાય તો રીપ્લેસમેન્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ

- Advertisement -
- Advertisement -

પ્રવર્તમાન સમય મા કોરોના ની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝજુમી રહ્યુ છે ત્યારે પાણી ની વરાળ નો નાશ કોરોના સામે લડવા મા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્ટીમ મશીન ( નાશ નુ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ કરવા મા આવી રહ્યુ છે સાથે ૩ in 1 મશીન નુ પણ રાહતદરે વિતરણ અવિરતપણે શરૂ છે. તે ઉપરાંત કોઈપણ મશીન મા ખામી જણાય તો રીપ્લેસમેન્ટ ની સુવિધા પણ સંસ્થા દ્વારા પુરી પાડવા મા આવી રહી છે. ૧૦ દીવસ ના સમયગાળા દરમિયાન ૫૦૦૦ જેટલા સ્ટીમ મશીન નુ મોરબી જલારામ મંદિર દ્વારા વિતરણ કરવા મા આવ્યુ છે ત્યારે આગામી સમય મા પણ વિતરણ ચાલુ રહેશે તેમ સંસ્થા ના આગેવાનો એ જણાવ્યુ છે. મશીન લેવા આવનાર વ્યક્તિઓ એ માસ્ક પહેરવુ તેમજ સોસિયલ ડીસ્ટન્સિંગ નુ પાલન કરવુ ફરજીયાત રહેશે તેમ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા હરીશભાઈ રાજા તથા પ્રોજેક્ટ ચેરમેન હસુભાઈ પંડિતે યાદી મા જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!