Saturday, April 20, 2024
HomeGujaratહળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને હરખથી આવકારતા ગ્રામજનો

હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને હરખથી આવકારતા ગ્રામજનો

હળવદના ચંદ્રગઢ ગામમાં પ્રકાશભાઈ વરમોરાની જનસંપર્ક યાત્રાને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો અને ગ્રામજનોએ હર્ષનાદ સાથે આવકાર્યા તેમજ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન સુલતાનપુર, થળા ગામમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા જ દિવસોનું અંતર છે ત્યારે ગુજરાતભરના નેતાઓ પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે ૬૪, ધ્રાંગધ્રા – હળવદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા પણ ગામે ગામમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. જેના ભાગ રૂપે તેમણે હળવદ તાલુકામાં જનસંપર્ક અભિયાનનું આયોજન કર્યું હતું. જ્યાં ચંદ્રગઢ ગામમાં તેમની જનસંપર્ક યાત્રાને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો અને ગ્રામજનોએ હર્ષનાદ સાથે તેમને આવકાર્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે હળવદ તાલુકાના પ્રવાસે પ્રકાશભાઈ વરમોરા નીકળ્યા હતા. અને પોતાના જન-સમર્થન માટે અને બહોળી સંખ્યામાં મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. જ્યાં ચંદ્રગઢ ગામમાં પહોંચતા તેમનું ઉષ્મભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સમસ્ત ગ્રામજનો દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ચૂંટણી પહેલા પ્રકાશભાઈની ખ્યાતિ ચોમેર ફેલાઈ રહી છે. ગત રવિવારે હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ, સરા રોડ, રતકડીયા હનુમાન, કેનાલની બાજુમાં દલવાડી સમાજના મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમગ્ર દલવાડી સમાજ તથા ભાજપના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રકાશભાઇને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં સભાનુ આયોજન કર્યું અને આવતીકાલે તેમના સમર્થનમાં હળવદ ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જંગી સભા યોજાશે. જેને લઈને હાલ હળવદમાં જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!