Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર : જુની ભાગીદારીનાં હિસાબ મામલે આધેડને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : જુની ભાગીદારીનાં હિસાબ મામલે આધેડને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મારામારીનાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ લુણસર તા. વાંકાનેર અને હાલ મોરબીનાં રવાપર રોડ વાસ્તુ ટાવર બ્લોક નં. ૬૦૨ ઓમ પાર્ટી પ્લોટ સામે રહેતા વાસુદેવભાઈ નથુભાઈ સરસાવાડીયા (ઉ.વ.૪૫) એ ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી વિરેન્દ્રભાઈ ઉર્ફે વશરામભાઇ હરજીવનભાઈ ધોરીયાણી (મુળ રહે. લુણસર તા. વાંકાનેર હાલ રહે પ્રમુખ સોસાયટી, રવાપર રોડ, મોરબી) વાળનાં ભત્રીજા સાથે અગાઉ ભાગીદારીમાં ધંધો કરેલ હોય જે ભાગીદારીનો હિસાબ કરવાનો બાકી હોય જે હિસાબ કરવા મામલે આરોપીએ ફરિયાદી સાથે લુણસર ગામની સીમમાં આવેલ રીલાયન્સ પેટ્રોલપંપ ખાતે ઝઘડો કરી જેમ ફાવે તેમ બીભત્સ ગાળો આપી ફરિયાદીનો કાઠલો પકડી એક ઝાપટ મારી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!