Friday, April 19, 2024
HomeGujaratમોરબી : પુત્રવધુને મરવા મજબુર કરવા મામલે પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ...

મોરબી : પુત્રવધુને મરવા મજબુર કરવા મામલે પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર મેઈન રોડ ઉપર સોઓરડીના નાકે આવેલ મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતી અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠિયા (ઉ.વ.૩૮) નામની પરિણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતી. આ બનાબ બાદ મૃતકની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન આ બનાવની જાણ થતાં મૃતકના સુરેન્દ્રનગર રહેતા પિયરજનો પણ દોડી આવ્યા હતા અને આ મામલે મૃતકના સુરેન્દ્રનગર રહેતા ભાઈ વિજયકુમાર છગનલાલ ચાવડાએ પોતાની બહેનના પતિ જીગ્નેશભાઈ ડાયાભાઈ સાગઠીયા, સસરા ડાયાભાઈ ગોરાભાઈ સાગઠીયા તેમજ સાસુ ચંન્દ્રીકાબેન ડાયાભાઈ સાગઠીયા (મોરબી નગરપાલિકાના પૂર્વપ્રમુખ) સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની બહેન અનીતાબેનને આરોપી પતિ તથા સાસુ-સસરાએ રસોઇ કામ તથા ઘરકામ તેમજ કરીયાવર બાબતે અવાર નવાર દુ:ખ ત્રાસ આપી મહેણા ટોણા મારી ફરીયાદીની બહેનને મરવા મજબુર કરતા ફરીયાદીની બહેન અનીતાબેન પોતાની સાસરીમા ગળેફાસો ખાઇ લેતા તેનું મોત થયું હતું. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇ.પી.સી. એકટની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ મોરબી સીટી બી ડીવીજનના પીએસઆઇ એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!