Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ...

વાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

વાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં એક જ પરિવારના સભ્યો બાખડયા હોવાનો મામલો સામે આવ્યો છે. બાદમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના પંચાસીયા ગામે રહેતા રસુલભાઇ આહમદભાઇ ખોરજીયા (ઉ.વ.૫૦)એ આરોપીઓ અબ્દુલભાઇ અભરામભાઇ ખોરજીયા, મકસુલભાઇ અબ્દુલભાઇ ખોરજીયા, સરીફાબેન અબ્દુલભાઇ ખોરજીયા, અફસાનાબેન અબ્દુલભાઇ ખોરજીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૭ના રોજ ફરીયાદી તથા આરોપીઓ એક જ કુટુંબના હોય તેમજ પાડોશી હોય રસ્તા બાબતે તકરાર ચાલતી હોય જે અંગે ગાળો બોલી લાકડી વડે ફરીયાદીને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સમાપક્ષે અબ્દુલભાઇ અભરામભાઇ ખોરજીયા (ઉ.વ. ૫૧) એ આરોપીઓ રસુલભાઇ આહમદભાઇ ખોરજીયા, ઇદ્રીશભાઇ અલીવદીભાઇ ખોરજીયા, યાકુબરહીમ નુરમામદ ખોરજીયા, મુસ્તુફા રહીમ નુરમામદ ખોરજીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે રસ્તા બાબતે તકરાર ચાલતી હોય જે અંગે આરોપીઓ ગાળો બોલી પથ્થરના ઘા કરતા ફરીયાદી તથા સાહેદોને લાગતા ઇજાઓ થતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!