Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેર : ભલગામ નજીક થયેલ હત્યાનાં બનાવનાં શકમંદની ઓળખ આપવા વાંકાનેર તાલુકા...

વાંકાનેર : ભલગામ નજીક થયેલ હત્યાનાં બનાવનાં શકમંદની ઓળખ આપવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભલગામ નજીક તુલશી હોટલની સામે તા. 26/03/2021ના રોજ એક વ્યક્તિને અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખત અને બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ આધારે જાણવા મળ્યું છે કે ફોટામાં દેખાતો શકમંદ ઇસમ બનાવના સમય પહેલા મૃતકની સાથે જોવા મળેલ છે અને શકમંદ ઇસમ કેસરી કલરની સાયકલ સાથે આંણદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફથી આવેલ છે. અને શકમંદ ઇસમ જે સાયકલ લઇને આવેલ હતો, તે સાયકલ બનાવ સ્થળ નજીકથી મળી આવેલ છે. જેથી, આ શકમંદ ઇસમની ઓળખ કરવી જરૂરી છે. આ ઇસમ કોઇપણ વિસ્તારમાં જોવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન (02828 220665 / 82005 34834 અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર આર. પી. જાડેજા (99090 01102)નો સંપર્ક કરી માહિતી આપવા પોલીસ મથક દ્વારા અપીલ કરવામાં આવે છે. માહિતી આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!