Saturday, September 30, 2023
HomeGujaratવાંકાનેર : તુ અમારી શેરીમા નીકળી અમારા ધર પાસે કેમ ઉભો રહેલ...

વાંકાનેર : તુ અમારી શેરીમા નીકળી અમારા ધર પાસે કેમ ઉભો રહેલ તેમ કહી ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ

મારામારીના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિનેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ ૨૭,ધંધો રીક્ષા ડ્રાઈવીંગ રહે. આંબેડકરનગર શેરી નં. ૦૫, વાંકાનેર) એ આરોપીઓ રમેશભાઇ તથા તેના દિકરા સંદિપભાઇ તથા દિપકભાઇ (રહે આંબેડકરનગર વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ ના રોજ રાત્રીના દશેક વાગ્યે આરોપીઓ તેઓના ધર પાસે બોલાચાલી કરતા હોય અને ફરીયાદી મો.સા.લઇ નીકળતા આરોપીના ધર પાસે ઉભા રહેતા જેનુ સારૂ નહીં લાગતા આરોપીઓએ ફરીયાદીને તુ અમારી શેરીમાં નીકળી અમારા ધર પાસે કેમ ઉભો રહેલ તેમ કહી ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની ફરિયાદનાં આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!