Friday, April 19, 2024
HomeGujaratઆવતીકાલે શહીદ દિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વીરોને વિરાંજલી અર્પણ કરાશે...

આવતીકાલે શહીદ દિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વીરોને વિરાંજલી અર્પણ કરાશે : સંજય રાવલનું લાઈવ વક્તવ્ય યોજાશે

કોરોના મહામારીને પગલે જાહેર સમારોહને બદલે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનો ફેસબુક ઉપર લાઈવ કાર્યક્રમ

- Advertisement -
- Advertisement -

મોરબી : દેશભક્તિના રંગે રંગાયેલ મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજી વીર શહીદોને નમન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે પરંતુ કોરોના મહામારીને પગલે આ વર્ષે જાહેર કાર્યક્રમ યોજવાનો બદલે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનો ઓનલાઇન વીરોને વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને મેન્ટોર દેવેનભાઈ રબારીના જણાવ્યા અનુસાર આવતીકાલે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા રાત્રીના 8.30 વાગ્યે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનો ખાસ કાર્યક્રમ “વીરોને વિરાંજલી” ઓનલાઇન યોજવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમ યંગ ઇન્ડિયા ગ્રુપના ફેસબુક પેઈજ ઉપર રાત્રીના 8.30 કલાકથી લાઈવ થશે. વધુ વિગતો માટે મોબાઈલ નંબર 9137944440 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

સંજય રાવલનું વક્તવ્ય 23 માર્ચ, મંગળવારે રાત્રે 8.30 કલાકે યંગ ઇન્ડિયા ગ્રુપના ફેસબુક પેઈજની લિંક https://www.facebook.com/YoungIndiaGroupMorbi/ ઉપર લાઈવ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!