Sunday, May 12, 2024
HomeGujaratવાંકાનેરના લુણસરગામે તાવાના ચુલા ખસેડવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવાન ઉપર હુમલો કરાયો

વાંકાનેરના લુણસરગામે તાવાના ચુલા ખસેડવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવાન ઉપર હુમલો કરાયો

વાંકાનેર તાલુકાના લુણસરગામેં તાવાના ચુલા ખસેડવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીઓને એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

લુણસરગામેં દશેરાના દીવસે પરિવાર ભેગો થયો હતો. આ વેળાએ તાવાના ચુલા ખસેડવા બાબતે માથાકૂટ થઈ હતી. જેથી ભરતભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.વ. ૩૩)એ આરોપી અશ્વીન ચાવડાને વડીલો બોલતા હોય ત્યારે આપડે ન બોલવું જોઈએ એ બાબતે શિખામણ આપતા આરોપીને માઠું લાગ્યું હતું. તેનો ખારદાવ રાખી અશ્વીન કાંતીભાઇ ચાવડા, કાંતીભાઇ લક્ષ્મણભાઇ ચાવડા, ચંદ્રીકાબેન અશ્વીનભાઇ ચાવડા રહે ત્રણેય લુણસર તા.વાંકાનેર, કુણાલ મુકેશભાઇ પરમાર રહે. મોરબી ઇન્દીરાનગરવાળાઓએ એક જૂથ થઈ ફરિયાદી ભરતભાઇ ચાવડા ઉપર લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!