Wednesday, June 24, 2026
HomeGujaratવાંકાનેરમાં સરતાનપર રોડ ઉપર ટ્રક રિપેરિંગ દરમિયાન યુવાનનું મોત

વાંકાનેરમાં સરતાનપર રોડ ઉપર ટ્રક રિપેરિંગ દરમિયાન યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ટીટા ચોકડી પાસે બંધ પડેલા ટ્રકનું રિપેરિંગ કરતી વખતે ટ્રકનો જોઈન્ટ માથા પર પડતાં યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મકનસર ગામના પીયુષભાઈ ભીખુભાઈ ભરડા ઉવ.૨૨ ગત તા.૨૧ જૂનની રાત્રે સરતાનપર રોડ ટીટા ચોકડી પાસે બંધ પડેલા ટ્રકની નીચે કામ કરી રહ્યા હતા ત્યારે ટ્રકનો જોઈન્ટ માથા પર પડતાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી પ્રથમ રફાળેશ્વર એપેક્સ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!