Sunday, May 19, 2024
HomeGujaratજમવા બાબતે ઝગડો થતા યુવાન ઉપર કાર ચડાવી દઈ હત્યા: બે વિરુદ્ધ...

જમવા બાબતે ઝગડો થતા યુવાન ઉપર કાર ચડાવી દઈ હત્યા: બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

માળીયા મી. ના વેણાસર ગામે જમવા ભેગા થયેલા યુવાનો વચ્ચે બોલાચાલી થતા વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત મુજબ માળીયા મી. ના વેણાંસર ગામે ખોડધ્રોઈ નદીને કાંઠે માછીમારી કરી ને પરત ફરેલા યુવાનો દ્વારા જમવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો પણ મૃતક રણજિતભાઈ મહિપતભાઈ કુંવરિયા એ વધુ જમવાનું કહેતા આરોપી સુનિલ લાભુ કોરડીયા અને સંદીપ લાભુ કોરડીયા એ મૃતક સાથે બોલાચાલી કરીને અને ઝપાઝપી કરવામાં આવી હતી પછી આરોપી સુનિલ અને સંદીપ ને મૃતક સાથે અગાઉ ના ઝગડા નો ખાર હોઈ જેથી પોતાની કાર મૃતક રણજિતભાઈ કુંવરિયા અને પ્રકાશભાઈ લોલડીયા પર ચડાવી દીધી હતી જેમાં પ્રકાશભાઈ નામના યુવાન ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને રણજિતભાઈ કુંવરિયા નું ઘટના સ્થળે જ મોત નીપજી જવા પામ્યું હતું.

આ મામલે માળીયા મી.પોલીસ એ મૃતક ના ભાઈ અશોકભાઈ ની ફરિયાદ નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!