Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનો મૃતદેહ મળ્યો: વાલી વારસાની જાણ કરવા પોલીસ...

મોરબીમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનો મૃતદેહ મળ્યો: વાલી વારસાની જાણ કરવા પોલીસ દ્વારા અનુરોધ કરાયો

મોરબી શહેરના રાજપર રોડ પર આવેલ મામાદેવના મંદીર નજીકથી અજાણ્યાં યુવાનનો મૃતદેહ સાંપડ્યો છે. આ અંગે સીટી બી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી. જ્યાં તપાસ દરમીયાન 26 વર્ષીય યુવાનની મંદિરની બાજુની દુકાનના પારા પીટના સળીયામાં ટીશર્ટ વડે ગળે ફાસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી. મૃતકે શરીરે ભુખરા કલરનુ કાળી પટ્ટી વાળુ ગંજી તથા કોફી કલરની ચડ્ડી પહેરેલ છે.જેના મોઢા ઉપર દાઢી મુછ છે.
મૃતકના વાલી વારસાની ભાળ ન મળતા પોલીસે વાલીવરસાની જાણ કરવા અનુરોધ કર્યો છે. કોઈ પણ લોકોને જાણ થઈ તો પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એસ.મેસવાણીયા, મો.ન .૯૯૦૪૭૧૩૨૪૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલી.નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા પીઆઇ જે.એમ.આલ દ્વારા અપીલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!