Saturday, April 27, 2024
HomeGujaratહળવદની મોરબી માળિયા ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો:શોધખોળ શરૂ

હળવદની મોરબી માળિયા ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો:શોધખોળ શરૂ

હળવદની મોરબી માળિયા ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે. જે બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ તેમજ સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે પહોંચ્યા છે અને યુવકની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદની મોરબી માળિયા ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલમાં એક યુવાન ન્હાવા પડ્યો હતો. તે સમયે અચાનક તેનો પાણીમા ગરકવા થતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડુબનાર યુવાન વાંકાનેરનો સંદીપ કિર્તીભાઇ વ્યાસ (ઉ .૨૭) હોવાની હાલ વિગતો સામે આવી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનાલ કાંઠે યુવાનુ મોટરસાયકલ કપડા ચંપલ સહિતની વસ્તુઓ મળી આવી છે. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બે કલાકથી પણ વધુ સમય વીત્યો છતાં હજુ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!