આજરોજ જિલ્લા માં કુલ ૯૮૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નોંધાયેલા પોઝિટિવ કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૦૩ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેસ,વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૫ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૨ કેશ નોંધાયા હતા.
જ્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ૬૮ વર્ષીય વૃદ્ધ મહિલા નું કોરોના ના કારણે મોત નીપજ્યું હતું .જેમાં મૃતક દર્દી ને કોરોના ની સાથે લ્યુકેમિયા- બ્લડ કેન્સર ની બીમારી પણ હતી અને તેઓએ કોરોના વેકસીન નો એક પણ ડોઝ લીધો ન હતો.
જ્યારે જિલ્લામાં ૨૧ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૧૫ ,ટંકારામાંથી ૦૪,હળવદ માથી ૦૧,વાંકાનેર માંથી ૦૧ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૧૦૧ થયો છે.