Saturday, April 27, 2024
HomeGujaratશ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે...

શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 99 દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા
સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 6 તારીખે ટંકારા ગામ ના શ્રી એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.6-2-૨૦૨૩ સોમવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમા 99 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 27 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. કિરીટભાઈ આચાર્ય સાહેબ, રાજેન્દ્રભાઈ ગાવડીય, હેમુભાઈ પરમાર, દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ) , નિલેશભાઈ પટણી ,લાલાભાઇ આચાર્ય, ગીરીશભાઈ ગાંધી,જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી),ગીતાબેન સરડવા,કુવરજીભાઈ ભાગીયા તેમજ મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવી કેમ ને સફળ બનાવવામાં આવ્યો હતો,
99 લોકોએ લાભ લીધો હતો તેમજ 27 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવશે. દર મહીના ની 6 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ચંદ્રકાંત કટારીયા( ચનાભાઈ)-8000328442, પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમા જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!