Saturday, October 19, 2024
HomeGujaratમોરબી : રઘુવંશી સમાજના કોરોના કેર સેન્ટરમાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી

મોરબી : રઘુવંશી સમાજના કોરોના કેર સેન્ટરમાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી

મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિધાર્થી ભવન ખાતે લોહાણા સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ કેર સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડના દર્દીઓને સઘન સારવાર આપવાની સાથે દર્દીઓના મનમાંથી કોરોનાનો ભય દૂર કરવાના સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કોવિડ કેર સેન્ટરમાં રામનવમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર્દીઓ ભક્તિમય બનીને પ્રભુની પ્રાર્થનાથી ઝડપથી સાજા થાય તે માટે સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિને થાળમાં બિરાજમાન કરી દીપ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી. બાદમાં પ્રભુ રામની મૂર્તિ સાથેનો થાળ કોવિડ દર્દીઓ સમક્ષ ફેરવવામાં આવ્યો હતો અને દરેક દર્દીઓ પ્રભુ શ્રીરામના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોતે કોરોનામાંથી ઝડપથી સાજા થાય ફરી સ્વસ્થ બનીને જીવન જીવી શકે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!