Friday, October 18, 2024
HomeGujaratઆર્ય મહિલા મંડળ, આર્યવીરાંગના દળ અને આર્ય સમાજ ટંકારા દ્વારા મહિલાઓ માટે...

આર્ય મહિલા મંડળ, આર્યવીરાંગના દળ અને આર્ય સમાજ ટંકારા દ્વારા મહિલાઓ માટે યોગ અને આસન શિબિરનું આયોજન

ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારામાં આગામી તારીખ 12 મે થી 16 મે સુધી મહિલાઓ માટે યોગ અને આસન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આર્ય મહિલા મંડળ, આર્યવીરાંગના દળ અને આર્ય સમાજ ટંકારા દ્વારા તારીખ 12 મે થી 16 મે સુધી સવારે 6 થી 8-30 અને બપોરે 2-30 થી 5 વાગ્યા સુધી મહિલાઓ માટે યોગ અને આસન શિબિર યોજાશે. આ શિબિરમાં આચાર્ય સત્યમજી તથા આચાર્યા અભિલાષાજી હાજર રહેશે. જેમાં 13 થી 50 વર્ષ સુધીની બહેનો ભાગ લઈ શકશે. શિબિરમાં ભાગ લેવા માટે સવારે નાસ્તો કર્યા વગર આવવા જણાવાયું છે. શિબિરમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલી તકે નામ નોંધાવી લેવા જણાવાયું છે. નામ નોંધાવવા માટે પ્રભાબેન મનીપરા (મો.નં. 8980008555), દિવ્યાબેન પરમાર (મો.નં. 7884369272), હીનાબેન બારૈયા (મો.નં. 9537353200), રસીલાબેન દુબરીયા (મો.નં. 9510752417), વનીતાબેન પડસુંબિયા (મો.નં. 6353486707) પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!