Thursday, September 19, 2024
HomeGujaratમોરબીની પરિણીતાએ એસીડ ગટગટાવી જઈ મોતને વહાલું કર્યું : એક જ દિવસમાં...

મોરબીની પરિણીતાએ એસીડ ગટગટાવી જઈ મોતને વહાલું કર્યું : એક જ દિવસમાં બે અકાળે મોતનાં બનાવો નોંધાયા

મોરબીમાં ગઈકાલે વધુ બે અકાળે મોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં મોરબીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર એસીડ ગટગટાવી જતા મોત નીપજ્યું હતું. જયારે અન્ય બનાવમાં મોરબીમાં આવેલ અલખ પેપરમીલના લેબર કવાટરના ત્રીજા માળેથી પડી જતા યુવતીનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીના યમુનાનગર નવલખી રોડ ખાતે રહેતા પુજાબેન મિતુલભાઇ બારોટ નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી જતા તેના પરિવારજનો દ્વારા પરિણીતાને વડાવીયા સરકારી હોસ્પિટલ સારવારમા ખસેડવામાં આવેલ હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરનાં ડોક્ટરે પરિણીતાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબીની અલખ પેપરમીલના લેબર કવાટરમા ગોર ખીજડીયા ખાતે રહેતી માધુરીબેન રાજાભાઇ પરમા નામની યુવતી ગઈકાલે લેબર કવાટરના ત્રીજા માળેથી કોઈપણ કારણસર પડી જતા મુકેશભાઇ દેવદાસભાઇ દ્વારા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડવામાં આવેલ હતી. પરંતુ યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!