Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં શ્રી ડેલાવાળા મામાદેવનો વિરપુરૂષ પંચકુંડી મહાયજ્ઞ તથા મોજનો નવરંગ મંડપ ઉત્સવનુ...

મોરબીમાં શ્રી ડેલાવાળા મામાદેવનો વિરપુરૂષ પંચકુંડી મહાયજ્ઞ તથા મોજનો નવરંગ મંડપ ઉત્સવનુ આયોજન

મોરબીના આંગણે ડેલાવાળા મામાદેવનો વિરપુરૂષ પંચકુંડી મહાયજ્ઞ તથા મોજનો નવરંગ મંડપ ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ પાવનકારી પ્રસંગનું આયોજન ડેલાવાળા મામદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સાયન્ટીફીક વાળી શેરી, જુના મહાજન ચોક, નવયુગ ગારમેન્ટ ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. મામાદેવના સાનિધ્યમાં ડેલાવાળાં મામાદેવના વિરપુરૂષ પંચકુંડી મહાયજ્ઞ તથા મોજના નવરંગ મંડપ ઉત્સવનું તા.૧૬-૦૫-૨૦૨૩ને મંગળવારના રોજ આયોજન કરેલ છે. આ પ્રસંગે થાંભલી રોપણ, થાંભલી વધામણા, મહા પ્રસાદ અને ડાકની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં સંતો મહંતોમાં શ્રી મસ્તનાથજી બાપુ જામનગર, યજ્ઞ આચાર્ચ શ્રી મહર્ષિભાઇ દવે, ગુરૂ શ્રી ઓગળનાથ બાપુ, રેખા દે પદમા દે શ્રી ઉગતાપોર ની મેલડી માતાજી તથા શ્રી મચ્છુ માતાજીના મહંત શ્રી રાજેન્દ્રબાપુ પરાશરની કરશે. આ તકે દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!