Wednesday, October 9, 2024
HomeGujaratવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક સામસામે બાઈક અથડાતા એક બાઈકચાલકનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક સામસામે બાઈક અથડાતા એક બાઈકચાલકનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પહેલા સામસામે બે બાઇક અથડાવાના અકસ્માતમાં હસનપર ગામના વૃદ્ધ બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના હસનપર ગામના સતાભાઈ પાંચાભાઈ મુંધવા ઉવ.૭૦ ગઈકાલતા.૧૬/૦૬ વહેલી સવારમાં પોતાના બાઈક ઉપર જતા હોય ત્યારે વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી આગળ ૮ વાગ્યાના અરસામાં સામેથી આવતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સતાભાઇ મુંધવાને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે અજાણ્યો બાઈક ચાલક પોતાનું બાઈક લઇ સ્થળ ઉપરથી નાસી ગયો હતો. અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત સતાભાઈ મૂંધવાને બેભાન હાલતમાં ૧૦૮ મારફત વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતમાં મોતની ઘટનામાં આરોપી અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે અજાણ્યા બાઈક ચાલક આરોપી સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!