Tuesday, October 8, 2024
HomeGujaratમોરબીના કાલિકાનગર નજીક પેપરમીલ કારખાનાની રૂમમા યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના કાલિકાનગર નજીક પેપરમીલ કારખાનાની રૂમમા યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીમાં કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઇ ટોળીયાના લગ્ન થતાં ન હોવાનું મનમાં લાગી આવતા તાલુકાના કાલિકાનગરની સીમમાં આવેલ સેજોન પેપરમીલની રૂમમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી-૧ માં આવેલ કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ માધાભાઇ ટોળીયા ઉવ.૩૭ સહિત પાંચ ભાઇઓ હોય અને મૃતક ગોપાલભાઈથી નાના બે ભાઇ તથા મોટા બે ભાઇઓના એમ ચારેય ભાઈઓના લગ્ન થઇ ગયેલ હોય અને નાના બન્ને ભાઇઓના ઘરે સંતાનો હોય ત્યારે મૃતક ગોપલભાઈના આજદીન સુધી લગ્ન થયેલ ન હોય જેથી છેલ્લા ઘણા સમયથી હતાશ રહેતા હોય અને પોતાના આજદીન સુધી લગ્ન થયેલ ન હોય જેનુ પોતાના મનમા દુ:ખ રહેતુ હોય જેનાથી કંટાળી જઇ મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમા આવેલ સેજોન પેપરમીલના રૂમમા પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ગોપલભાઈનું મોત નિપજ્યું હતું. ત્યારે ગોપાલભાઈના અકાળે મૃત્યુ અંગે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!