Sunday, October 6, 2024
HomeGujaratમચ્છુ-૩ સિંચાઈ યોજનાનો એક દરવાજા વધુ એક ફૂટ ખોલાયો હાલ બે ફૂટ...

મચ્છુ-૩ સિંચાઈ યોજનાનો એક દરવાજા વધુ એક ફૂટ ખોલાયો હાલ બે ફૂટ દરવાજો ખુલ્લો:મોરબી માળિયાના ૨૧ ગામોને એલર્ટ કરાયા

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબન પાણી ભરાઇ ગયું છે. તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતાં એક દરવાજો 2 ફૂટ ખોલવાની તંત્રએ જાણ કરી છે તેથી સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબન પાણી ભરાઇ ગયું છે. તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતાં એક દરવાજો 2 ફૂટ ખોલવાનું તંત્રએ જાહેર કર્યું છે તેથી નીચાણ વાળા વિસ્તારમાં આવતા ગામલોકોને જાણ કરાઇ છે તેમજ નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના અપાઇ છે. જેના માટે સિંચાઇ વિભાગે મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરગઢ, બહાદુરગઢ અને સોખડા જ્યારે માળીયા મિયાણા તાલુકાના દેરાળા, મેધપર, નવાગામ, રાસંગપર, વીરવદરકા, માળીયા મિયાણા, હરીપર અને ફતેપર ગામના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવર જવર નહિ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!