Friday, September 20, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે શૌચાલય સાફ કરાવવાની કામગીરી...

મોરબી જીલ્લામાં સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો

સર્વેમાં તારણ કરાયો; સર્વે અંગે કોઈને વાંધો હોય તો દિવસ – ૨ માં આધાર પુરાવા સાથે જાણ કરવી

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦ ઓક્ટો.૨૦૨૩ના ચુકાદા મુજબ મોરબી જીલ્લામાં “ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક્ટ-૨૦૨૧૩” મુજબ જીલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ તથા અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)ની સફાઈનું કામ થતું હોય તેને રોકવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અન્વયે મુજબ મોરબી જીલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં મોરબી જીલ્લામાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines) જોવા મળ્યા નથી. આ સર્વે અંતર્ગત જો કોઈપણ વ્યક્તિને વાંધા હોય તો સંબંધિતોએ જીલ્લાની સંબંધિત નગરપાલિકા/તાલુકા પંચાયતમાં દિન-૦૨ માં જરૂરી આધાર – પુરાવા સહિત જાણ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આ બાબતનો કોઈ વાંધો માન્ય રહેશે નહીં. જેની નોંધ લેવા અધ્યક્ષ જીલ્લા સર્વે સમિતિ તથા જીલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!