Friday, October 4, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઝેરી દવા ગટગટાવી આધેડે મોત વ્હાલું કર્યું

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઝેરી દવા ગટગટાવી આધેડે મોત વ્હાલું કર્યું

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા આધેડે કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુજના ગારીયા ગામે રહેતા ભૂરાભાઈ રવજીભાઈ રોજાસરા ઉવ.૪૩ વાળા ગઈકાલ તા. ૦૩/૧૦ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે બપોરના ૩ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભૂરાભાઈની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર તબીબે ભૂરાભાઈની જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોત રજીસ્ટર કરી આપઘાત કરવા પાછળના કારણોની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!