અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હળવદ પંથકમાં યોજવામાં આવ્યો હતો. જેમાં હળવદ ઘટકના સર્વ ધર્મોના ૪૦ સગર્ભા માતાએ સંસ્કારી બાળકો માટે ગર્ભ સંસ્કારની વિધિ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા કરાવવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ સી ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. જે યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી તેમજ શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે તેમનો એક સંસ્કાર એટલે ગર્ભસંસ્કાર. ત્યારે આજરોજ હળવદ ઘટક ખાતે વૈજનાથ મહાદેવ મંદિર જગ્યામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ સી ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં હળવદ ઘટકના સર્વ ધર્મોના ૪૦ સગર્ભા માતાએ સંસ્કારી બાળકો માટે ગર્ભ સંસ્કારની વિધિ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા કરાવવામાં આવી હતી. સગર્ભા મહિલાના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત હળવદ-૧ આશરે ૪૦ સગર્ભા મહિલા લાભાર્થીને પાટિયા ગ્રુપ હળવદ તરફથી ખજૂર તેમજ વિદ્યાબેન બળવંતભાઈ જોશી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ તરફથી લીલા નારિયેળ સગર્ભા મહિલાઓને અર્પણ કરી ઉતમ ઉદાહરણ પૂરું પડાયું હતું. જે કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન એચ. ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ગૌસ્વામી, ચેરમેન મહિલા અને બાળ વિકાસના પ્રતિનિઘિ રવજીભાઇ પરમાર, ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડયા, સુપરવાઈઝર મમતાબેન રાવલ, આજના પ્રોગ્રામના દાતા નિવૃત આંકડા મદદનીશ એ. એમ. સંઘાણી, પાટિયા ગ્રુપ હળવદ, વિદ્યાબેન બળવંતભાઈ જોશી તથા હળવદ આઈ.સી.ડી.એસ. સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં…