વજેપર ૬૬ કેવી સબ સ્ટેશનમા આવતી કાલે બુધવારનાં રોજ GETCO દ્વારા કામગીરી કરવાની હોવાથી તેમાંથી નીકળતા PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર, ૧૧ કેવી હોસ્પિટલ, ૧૧ કેવી રાજનગર ફિડર તેમજ ૧૧ કેવી મૂનનગર ફિડરમાં સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૧૧:૦૦ વાગ્યા સુધી સબ સ્ટેશનનું સમાર કામ માટે વીજળી બંધ રાખવામાં આવશે. જેની જાણ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી છે.
વજેપર ૬૬ કેવીના સબ સ્ટેશનમાં GETCO દ્વારા કામગીરી કરવાની હોવાથી તા. ૨૮/૦૫/૨૦૨૫ ને બુધવારના રોજ વીજળી બંધ રહેશે. જેમાં મોરબી શહેર ૧ ના પેટા વિભાગ હેઠળ આવતાં ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર, ૧૧ કેવી હોસ્પિટલ, ૧૧ કેવી રાજનગર ફીડર તેમજ ૧૧ કેવી મુનનગર ફીડરમાં સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી સબ સ્ટેશનનું સમારકામ કરવાનું હોવાથી વીજળી બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી રામ, નીરવ પાર્ક વગેરે તેમજ જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશનગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા સહિતના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે