વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના કાસમપરા વિસ્તારની કેનાલમાં પડી જતાં ૬૬ વર્ષીય આહમદભાઈ હૈયાતભાઈ પરાસરા નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ તેઓ ગઈકાલ તા.૧૯/૦૬ ના રોજ કુદરતી હાજત માટે નીકળ્યા ત્યારે અકસ્માતે કેનાલમાં પડી જતા કેનાલમાં વરસાદી પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે