લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. ૭૨/૧ પૈ ૧ માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર દ્વારા આશરે ૧ વિધાની ઉપરની સરકારી નવા ગામતળની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૧ વિઘાથી વધારે ગામતળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જે જગ્યાએ ટુંક સમયમાં ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવેશે.
લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. ૭૨/૧ પૈ ૧ માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર દ્વારા આશરે ૧ વિધાની ઉપરની સરકારી નવા ગામતળની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. જે જમીન ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા માટે નિયત થઈ હતી.
જેમાં આજ રોજ તાલુકા પંચાયત કચેરી તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરેલ જેમાં દબાણ કર્તા સ્વૈચ્છીક દબાણ ન હટાવતા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર, ઉપસરપંચ વિનોદભાઇ ખોડાભાઇ અજાણા, સભ્ય હંસાબેન ભગવાનજીભાઇ પરમાર, તલાટી કમ મંત્રી હેતલબેન એ. ગોહેલ, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, વિસ્તરણ અધિકારી એચ.ડી.રામાનુજ, સીનીયર ક્લાર્ક ડી.સી. દેત્રોજા, જિલ્લા પંચાયત કચેરીના લિગલ એડવાઇઝર સંજય નરોલા, મોરબી તાલુકા પોલીસ સ્ટાફ વિજયસિંહ મહેશભાઇ, જનકભાઇ વલ્લભભાઇ, તેજલબેન વજાભાઇ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. તેમજ દબાણ હટાવવાની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી (IAS)ના માર્ગદર્શન હેઠળ પુર્ણ કરવામાં આવી હતી. જેમાં આશરે ૧ વિઘાથી વધારે ગામતળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જે જગ્યાએ ટુંક સમયમાં ગરીબ લાભાર્થીને ૧૦૦ ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવેશે