વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ મોરબી જીલ્લા દ્વારા સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.
જેમાં માતૃશક્તિની બહેનો દ્વારા પોતાના હાથે સવા સો કિલોના લાડવા ગાય માતા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
લાડવા તૈયાર કર્યા બાદ માતૃશક્તિની બહેનો અને બાળકોએ શકતસનાળા ખાતે આવેલ ટોબરિયા હનુમાનજી ગૌશાળા ખાતે ગાય માતાને તેમજ નંદી મહારાજને પોતાના હસ્તે લાડુનો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો.