મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ, પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેજીથી લઇ કોલેજ સુધીના 260 વિદ્યાર્થીને શીલ્ડને શિક્ષણ કીટ આપી સન્માન કરાશે.
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલનનું આગામી તા.૩-૮-૨૦૨૫ ને રવિવારના રોજ શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવર સામે ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેજી થી કોલેજ સુધીના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. સાથે સમાજના કાર્યોમાં હર હંમેશ સહયોગ આપતા દાતાને સમાજના ગૌરવ સમાન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ સમારોહમાં સંતો-મહંતો સહિત મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ત્યારે સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેશગીરી, મંત્રી અમિતગીરી,ખજાનચી તેજસગીરી સહિત યુવક મંડળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે