Thursday, November 13, 2025
HomeGujaratહળવદની સગીરાનાં અપહરણનાં ગુન્હામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી AHTU...

હળવદની સગીરાનાં અપહરણનાં ગુન્હામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી AHTU ટીમે ઝડપી પાડ્યો

વર્ષ 2007 માં હળવદમાંથી સગીરાનું અપહરણ કરી છેલ્લા ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી AHTU ટીમે મોરબી જીલ્લાના રવાપર નદી ગામના પાટીયા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી AHTU ટીમને બાતમી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૩/૨૦૦૭ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ ના ગુન્હાનો આરોપી નારાયણભાઇ ઉર્ફે નારસંગ મોતીભાઇ શિહોરા (રહે. મુળ કેદારીયા તા.હળવદ જિ.મોરબી હાલ રહે. રવાપર નદી ગામની સીમ) ફરીયાદીની સગીર વયની દિકરીને રાણેકપર ગામ ખાતેથી અપહરણ કરી ભગાડી ગયો હતો. જે આરોપી નારાયણભાઇ ઉર્ફે નારસંગને મોરબી જિલ્લાના રવાપર નદી ગામના પાટીયા પાસે હોવાની માહીતી મળતા AHTU ટીમે મોરબી તાલુકા વિસ્તારમાં તપાસમાં હતા. તે તાત્કાલિક સ્થળ પાર પહોંચીને મોરબી જિલ્લાના રવાપર નદી ગામના પાટીયા પાસેથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!