મોરબીના ૬૬ કે.વી મોરબી-બી (શનાળા) સબ સ્ટેશનમાં સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે અડધા મોરબીને વીજળી વગર રહેવું પડશે. સબ સ્ટેશનમાં સમારકામને કારણે મોરબી-૧ વિસ્તારની ૬૪ થી વધુ સોસાયટીમાં સવારે ૮ થી બપોરે ૨ સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
મોરબી શહેરમાં આવતીકાલે મોટી સંખ્યામાં વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેવાનો છે. મળતી માહિતી મુજબ, ૬૬ કે.વી. મોરબી-B (શનાળા) સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી PGVCL મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ગૌશાળા, મધુરમ, કાલિકા પ્લોટ, અવધ, ટેલિકોમ અને ન્યુ બસ સ્ટેન્ડ રોડ ફીડર પરથી જોડાયેલા વિસ્તારોમાં સવારે ૮:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરીને કારણે શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં,તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧,૨,૩,ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાન ની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલય ની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલ ની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલ ની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર,સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં, શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે, આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL દ્વારા નાગરિકોને જરૂરી આયોજન કરી લેવા અને વીજ કામગીરી દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.









