મોરબી તાલુકાના જેતપર ગામે અલાસ્કા કારખાનામાં કામ કરતા ઉમેશભાઈ બાબુભાઈ ઉવ.૩૯ રહે. જેતપર ગામ નજીક પાવડીયાળી રોડ ઉપર આવેલ અલાસ્કા કારખાનામાં તા.જી.મોરબી વાળાને ગઈકાલ તા. ૦૩/૦૩/૨૦૨૬ના રોજ કારખાનામાં તેમને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા મહેન્દ્રભાઈ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ઇન્કવેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.









