મોરબી શહેરમાં રાજકોટ રોડ પર અજંતા કારખાનાના ક્વાર્ટરમાં રહેતા એક વૃદ્ધનું મૃત્યુ નીપજતા સીટી એ ડિવિઝન.પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નરેશભાઈ વેરશીભાઈ દધુકીયા ઉવ. ૬૦ રહે. મોરબી રાજકોટ રોડ અજંતા કારખાના ક્વાર્ટર તા. જી. મોરબી વાળા આજથી અંદાજે ૧૯ વર્ષ અગાઉ થયેલા અકસ્માતને કારણે પથારીવશ જીવન વિતાવી રહ્યા હતા. આ દરમીયા. ગઈકાલ તા.૦૩/૦૩ના રોજ તા. ૦૩/૦૩/૨૦૨૬ના રોજ કોઈ અગમ્ય કારણોસર તેમનું અવસાન થયું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









