વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે ૪૨ વર્ષીય મજૂર અચાનક બેભાન થઈ જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી છે.
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા ઉવ.૪૨ બીમારીના કારણે ગઈકાલે અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલત ગંભીર બનતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.









