ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના પવિત્ર અવસરને વધાવવા માટે ગામ નેસડા (ખા) ખાતે ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ને ગુરુવારના રોજ ગામમાં સ્થિત ‘આપણા હનુમાન’ મંદિરના સાનિધ્યમાં એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકસાહિત્ય અને ભજનના સુપ્રસિદ્ધ કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત યોજાનારા લોકડાયરામાં ખ્યાતનામ કલાકાર ગુરુવીર પ્રજાપતિ અને નંદલાલ ભાડજા પોતાની કલા પીરસશે. હનુમાન દાદાના ગુણગાન અને લોકસાહિત્યની હેલી રેલાવવા માટે કલાકારો રાત્રે ૯:૦૦ કલાકે સ્ટેજ ગજવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘આપણા હનુમાન મંડળ’ તથા સમસ્ત નેસડા (ખા) ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
હનુમાન જયંતિના પાવન પર્વે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં પધારવા માટે આયોજકો દ્વારા આજુબાજુના ગ્રામ્ય પંથકની તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.









